રાજકોટઃ પડધરીના નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાના મામલો ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવજાત બાળકીની માતાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં નવજાત બાળકીનો જન્મ રાત્રે 3 વાગ્યા આસપાસ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. એટલું જ નહીં, માતાએ નવજાત બાળકીને ત્યજી ત્યાંથી 100 મીટર જ દૂર જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. 


પડધરી પોલીસે IPC કલમ 317 હેઠળ ગુનો દાખલ કર્યો છે. વાડી માલિક નવલસિંહ જાડેજા ફરિયાદી બનાવવામાં આવ્યા છે. મોબાઈલ ટાવર ડમ્પ અને આંગણવાડી વર્કરના આધારે તપાસ શરૂ કરી છે. નવજાત બાળકીને ત્યાજેલી જગ્યા થી 100 મીટર દૂર રોડ પર જ ડિલેવરી થઈ હોવાના પુરાવા પોલીસે એકત્ર કર્યા છે. 


પોલીસે બાળકીના DNA અને રોડ પરથી લીધેલા લોહીના નમૂના FSLમાં મોકલ્યા છે. રોડ પર મહિલાના પગના લોહીવાળા નિશાન અને પરત જતી વખતના પણ ફૂટપ્રિન્ટ મળ્યા છે. નવજાત બાળકીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. 

ગઈ કાલે માનવતાને શર્મશાર કરતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડામા પ્રકાશમાં આવી હતી. વાત સાંભળીને પણ રુવાટા ઉભા થઇ જાય તેવો બનાવ સામે આવ્યો છે. એ દયાહીન માતા કેવી હશે કે તેને બાળકીને કપડામાં વીંટીને બાદમાં ધૂળ પણ નાખી દીધી હતી. જો કે રામરાખે તેને કોણ ચાખે આ કહેવત યથાર્થ સાબિત થઈ છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બાળકીના શરીર પર ધૂળ છે. આ છતાં બાળકી બચી ગઈ છે. 


રાજકોટ જિલ્લામાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી છે. પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે તાજી જન્મેલી ફુલજેવી બાળકી મળી આવી છે. ખીજડિયા ગામની ડેમમાં સવારે જીવિત બાળક પડ્યું હતું. ખીજડિયા ગામના આગેવાન નવલસિંહ જાડેજા અને તેમના ભત્રીજા પ્રધુમનસિંહ જાડેજાએ પોલીસ અને 108 ને જાણ કરી હતી. સારવાર માટે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. બાળકને તેની નાળ સાથે કપડામાં વીંટી દેવામાં આવ્યું હતું. બાળકને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં NICU માં દાખલ કરી છે. 108ના ડિસ્ટ્રીકટ મેનેજરે કહ્યું બાળક હાલમાં સ્વસ્થ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડોક્ટરો બાળકોની સઘન સારવાર કરી રહ્યા છે. 


ખીજડીયા ગામના ખેડૂતે સમગ્ર હકીકત જણાવી હતી. કઈ રીતે બાળકી મળી હતી, કેવી હાલતમાં મળી હતી અને તેમને કઈ રીતે ખબર પડી હતી. ત્યારબાદ 108 અને પોલીસ ને કઈ રીતે જાણ કરવામાં આવી હતી. કદાચ જો આ ખેડૂતને ખબર ન પડી હોત તો કદાચ બાળકી જીવિત ન હોત. ખીજડીયા ગામના ખેડૂત નવલસિંહ જાડેજા પોતાની એક વાડીથી બીજી વાડીએ જતા હતા. ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવતા તેમને તાત્કાલિક બાઈક ઊભું રાખી દીધું હતું અને બાદમાં તેમના ભત્રીજા ને જાણ કરી હતી. તેમના ભત્રીજા પ્રદ્યુમનસિંહ જાડેજા એ પડધરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 


બાળકીની એ નિષ્ઠુર માતા કેવી હશે કે, જે ફૂલની હજી નાળ પણ નથી પડી ને તેને ખાલી ડેમમાં ફેંકી દેવામાં આવી. ડેમની બાજુમાં આવેલ ખેડુતને જાણ ન થઈ હોત તો બાળકી બચી ન શકી હોત. જો કે તાત્કાલિક ખેડુતે તાત્કાલિક 108ને જાણ કરી દેતા બાળકીની સંઘન સારવાર શરૂ થઈ ગઈ હતી. બાળકીના ગણતરીની મિનિટોમાં તો સિવિલ હોસ્પિટલમાં NICU ના ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત સારી છે.