Rajkot:  રાજકોટમાં રહેતા નેપાળી પરિવારના લોકોને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો છે. ધુમ્મસના ​​​​​​​કારણે બંધ ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ચાર નેપાળી અને એક બસચાલક સહિત પાંચના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. 20 મુસાફરને ઇજા થતાં લખનઉ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા નેપાળી પરિવારના લોકો વતન પહોંચે તે પહેલા કાળ ભેટી જતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.




બોરસદમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની હત્યા, ઘટના સ્થળે ભરાયા લોહીના ખાબોચિયા


બોરસદમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. ભોભાફળી વિસ્તારમાં બન્યો બનાવ  હતો. ગત મોડી રાત્રે બાઇક ચાલક યુવકો સાથે સ્થાનિક યુવકને બોલાચાલી બાદ મામલો બિચક્યો  હતો. બોલાચાલી દરમિયાન યુવકેને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જે બાદ તેને કરમસદ ખાતે સારવાર માચે ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. 22 વર્ષીય યુવકની હત્યાને લઇ ગામમાં અરેરાટી પ્રસરી  ગઈ હતી. મૃતકનું નામ શાહબાજ શબ્બીરોદ્દીન મલેક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો .


ઉત્તરાયણ પર પવનને લઈને હવામાન વિભાગની આગાહી


દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે સારી રહેતી હોય છે અને બપોર પછી ઓછી થઈ જતી હોય છે. જેથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. પરંતુ આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ધુમ્મસવાળુ વાતાવરણ રહેશે.




લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત


ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.


અમદાવાદમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો


અમદાવાદમાં 16.7  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.