Rajkot: રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર છે. આગામી 19 જૂને શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ અંગે મનપાએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. 


આગામી 19મી જૂને રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે, આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખાસ વાત છે કે, ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ સહિતના નામો મોખરે છે. અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે.


 


ગરમીનો પારો વધતાં 108ને મળતાં કોલમાં થયો વધારો









ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે ગઈકાલે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.