રાજકોટઃ રાજકોટની ભગોળે આવેલ વેજાગામાં કુવામાંથી એક જ પરિવારના 3 સભ્યોની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બે પુરુષ અને એક મહિલાની કૂવામાંથી લાશ મળી આવી છે.  ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને લાશો બહાર કાઢવામાં આવી હતી. 


યુનિવર્સિટી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કૂવામાંથી લાશોને બહાર કાઢવામાં આવી છે. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ત્રણેય લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરાઇ છે. ત્રણેય સભ્યોએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું.