રાજકોટઃ જિલ્લાના ધોરાજી-જૂનાગઢ હાઇવે પર એસ.ટી.બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક યુવતીનું મૃત્યુ મોત થયું હતું. આ પછી એક યુવકનું પણ મોત થયું છે. આમ, આ ગમખ્વાર અકસ્માતે બે લોકોનો ભોગ લીધો છે. જ્યારે અન્ય બે લોકોને 108ની મદદથી ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. તેમજ એસટી બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને પણ નાની-મોટી ઇજાહ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે જૂનાગઢથી જામનગર જતી એસ.ટી. બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ધોરાજીના તોરણીયા પાટીયા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક જેતપુરના હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.