Baba Bageshwar Controversy Live: બાઘેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવે તે પહેલા જ વિવાદ શરુ, જાણો કોણે કર્યો વિરોધ તો કોણ આવ્યું સમર્થનમાં

Baba Bageshwar Controversy Live:  બાઘેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવે તે પહેલાં જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 17 May 2023 07:29 PM

બ્રેકગ્રાઉન્ડ

Baba Bageshwar Controversy Live:  બાઘેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવે તે પહેલાં જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી...More

બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં

: બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ છે. કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે. રાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે. કરણી સેનાએ તેમના કાર્યક્રમને લઈને રણનીતિ ગોઠવી છે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે.