બાળકોને સમજાવવામાં આવી રહ્યા છે કે યુક્રેન પર રશિયાનું આક્રમણ ડોનબાસના લોકોને નરસંહારથી બચાવવા માટેનું સ્વતંત્રતા મિશન છે.યુક્રેન સામે યુદ્ધ છેડ્યા બાદ વ્લાદિમીર પુતિનને રશિયામાં સખત પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા બાળકો પણ પુતિનનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી પેઢીને સમજાવવા અને આ યુદ્ધને યોગ્ય ઠેરવવા પુતિને શાળાઓમાં દેશવ્યાપી કાર્યક્રમ શરૂ કર્યો છે.


અમેરિકી મીડિયાએ ગુપ્તચર એજન્સીના પૂર્વ અધિકારી રેબેકા કોફલરને  કહ્યું કે, રશિયન શાળાઓમાં યુક્રેન સામેની લડાઈને મુક્તિ મિશન તરીકે વર્ણવવામાં આવી રહી છે. અહીં બાળકોને સમજાવવામાં આવી રહ્યું છે કે યુક્રેન પર રશિયાનું આક્રમણ ડોનબાસના લોકોને નરસંહારથી બચાવવા માટે સ્વતંત્રતા મિશન છે.


શિક્ષણ મંત્રાલય શરૂ કરાયો અભ્યાસક્રમ


રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળકોને શિક્ષિત કરવા માટે રશિયાની શાળાઓમાં દેશવ્યાપી કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયન આક્રમણના સંદર્ભમાં શિક્ષણ મંત્રાલયે "ઓપન લેસન્સ" નામનો દેશવ્યાપી કાર્યક્રમ શરૂ કર્યો છે. કાર્યક્રમ અંતર્ગત બાળકોને વીડિયો દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે. રશિયાના શિક્ષણ મંત્રાલય દ્વારા એક ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાના બાળકોને એ સમજાવાવમાં આવશે. 


નરસંહારથી રશિયન બોલનારાઓને બચાવી રહ્યા છે


રશિયાનો ધ્યેય એવા રાષ્ટ્રવાદીઓનો સમાવેશ કરવાનો છે જેઓ રશિયન બોલે છે અને રશિયાના છે કારણ કે તે શાળાઓમાં ખુલ્લા પાઠ દ્વારા શીખવવામાં આવે છે. અમે ડોનબાસના લોકોને નરસંહારથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અહેવાલ મુજબ, શાળાઓમાં એક વિડિયો ચલાવવામાં આવી રહ્યો છે, જેનું શીર્ષક છે "પીકપીપર્સ ઓફ ધ પીસ". શિક્ષણ મંત્રાલયની ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "બાળકોને જણાવવાની જરૂર છે કે નાટોથી અમને શું ખતરો છે અને અમે શા માટે ડનિટ્સ્ક અને લુહાન્સ્કના લોકોની સુરક્ષા કરી રહ્યા છીએ."