Udaipur Violence: રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારે એક સરકારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ શાળાના સાથી પર ચાકુ માર્યા પછી સાંપ્રદાયિક તણાવ (communal tension )વધી ગયો હતો. ઘટના બાદ ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અને પથ્થરમારો (throw stones )કર્યો હતો. પરિસ્થિતિને જોતા ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 24 કલાક સુધી ઈન્ટરનેટ બંધ (internet close) કરી દેવામાં આવ્યું છે.


 પોલીસના જણાવ્યા અનુસાર, ભટિયાણી ચોહટ્ટા સ્થિત સરકારી શાળામાં છરાબાજીની ઘટના પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે, પીડિતાને જિલ્લા હોસ્પિટલના  (ICU)માં દાખલ કરવામાં આવી છે અને તેની સ્થિતિ સ્થિર છે.


 પોલીસે જણાવ્યું કે, કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો આ ઘટનાનો વિરોધ કરવા માટે શહેરના મધુબન વિસ્તારમાં એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે, ટોળાએ પથ્થરમારો કર્યો અને ત્રણ-ચાર કારને આગ ચાંપી દીધી.


 શુક્રવારે સાંજે તણાવ વધતાં બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારોમાં બજારો બંધ રાખવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના લોકોએ બજારોમાં દુકાનો બંધ કરાવી હતી. કેટલાક હિંસક તત્વોએ શોપિંગ મોલ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં દુકાનોના કાચના દરવાજાને નુકસાન થયું હતું.


  સેંકડો લોકો સરકારી હોસ્પિટલની બહાર એકઠા થયા હતા જો કે  પોલીસે ભીડને વિખેરી  હતી. ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપી ઝડપાઈ ગયો છે.


 અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત છે અને તમામ પોલીસ અધિકારીઓ જમીની સ્તરે દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે.


 ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટ, જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ પોસવાલ, એસપી યોગેશ ગોયલ, રાજ્યસભાના સભ્ય ચુન્નીલાલ ગરાસિયા, લોકસભા સાંસદ મન્નાલાલ રાવત, ધારાસભ્ય તારાચંદ જૈન, ફૂલ સિંહ મીના અને અન્ય જનપ્રતિનિધિઓએ પરિસ્થિતિ અંગે બેઠક યોજી હતી.