Loksabha Election 2024:લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના મહિના જ બાકી છે. આવી સ્થિતિમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત થઇ ગઇ છે. ગુરુવારે, પાર્ટીએ ચૂંટણી પ્રચારની થીમ પણ  લોન્ચ કરી છે.

Continues below advertisement


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતાને અપીલ કરી છે અને કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ઢંઢેરામાં શું હોવું જોઈએ તે અંગે તેઓ પોતાનો અભિપ્રાય આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું ક, દેશની રાજકીય પ્રક્રિયાને મજબૂત કરવા માટે સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેનાથી સરકાર અને જનતા વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. આથી ભાજપે પોતાના મેનિફેસ્ટો માટે સામાન્ય જનતા પાસેથી અભિપ્રાય માંગ્યો છે.


તમે નમો એપ પર સૂચનો આપી શકો છો


જો તમે દેશની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવવા માંગો છો અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તમારા વિચારો સામેલ કરવા માંગો છો, તો આ તક તમારા માટે છે. આ માટે તમે નમો એપ પર જઈને તમારો અભિપ્રાય આપી શકો છો. અથવા તમે www.narendramodi.in પર તમારા સૂચનો પણ સબમિટ કરી શકો છો. વેબસાઇટ પર સૂચનો આપવા માટે, તમારે લોગ ઇન કરવું પડશે અથવા તમે નોંધણી કરાવી શકો છો અને સામાન્ય પ્રક્રિયા દ્વારા તમારા વિચારો પોસ્ટ કરી શકો છો.


PM મોદીએ શું કરી અપીલ?


વડાપ્રધાન મોદીએ વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે તમે નક્કી કરો કે ભાજપના ઢંઢેરામાં શું હોવું જોઈએ, યુવાનો માટે શું હોવું જોઈએ. હું ઈચ્છું છું કે તમે આવો અને તમારો મત આપતા પહેલા તમારા સૂચનો આપો. પીએમ મોદીએ કહ્યું કે હું ભાજપના મેનિફેસ્ટોમાં યુવાનોની મહત્તમ ભાગીદારી ઈચ્છું છું. ભારતના યુવાનો જ ભાજપના ઢંઢેરાને માર્ગદર્શન આપશે. જે પણ સૂચનો સારા અને અમલ કરવા યોગ્ય છે, હું તે યુવાનોને મળીશ અને તેમની સાથે વિગતવાર ચર્ચા કરીશ.


ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર થીમ શરૂ કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 'અમે વાસ્તવિકતાને વણીએ છીએ, સપના નહીં, તેથી જ દરેક મોદીને પસંદ કરે છે' થીમ લોન્ચ કરી હતી. આ થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લોન્ચ કરવામાં આવી છે. આ ગીત સામાન્ય લોકોને ગમતી ધૂન પર તૈયાર કરવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે દેશમાં મોદીની ગેરંટીનો  પ્રચાર કરવામાં આવશે, જેને પહેલાથી જ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.