ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે તેનો ભોગ કોરોના વોરિયર્સ પણ બની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. વાલિયા રૂપનગર એસ.આર.પી. કેમ્પના 4 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ ફરજ બજાવી પરત ફરતા સેમ્પલ લેવાયા હતા.


આ જવાનો કોરોના પોઝિટિવ આવતાં સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા તજવીજ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 44 પર પહોંચી છે. જેમાંથી 34 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. તેમજ હાલ, 7 લોકો સારવાર હેઠળ છે.