સુરતમાં કોરોનાના નવા 47 કેસ નોંધાયા, 2ના મોત સાથે મૃત્યુઆંક 87
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jun 2020 07:22 PM (IST)
સુરત શહેર અને ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 47 કેસ નોંધાયા છે. 47માંથી સુરત શહેરમાં 42 અને ગ્રામિણ વિસ્તારમાં પાંચ નવા કેસ નોંધાયા છે.
સુરત: સુરત શહેર અને ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 47 કેસ નોંધાયા છે. 47માંથી સુરત શહેરમાં 42 અને ગ્રામિણ વિસ્તારમાં પાંચ નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કુલ 2156 પોઝિટિવ કેસ થયા છે, તો ગ્રામિણ વિસ્તારમાં કોરોનાના કુલ 177 પોઝિટિવ કેસ છે. સુરત શહેર અને ગ્રામિણના મળી કુલ 2333 કોરોના પોઝિટિવ કેસ છે. સુરતમાં આજે બે દર્દીનાં મૃત્યુ થયા છે. આ સાથે જ સુરતમાં કુલ મૃત્યુઆંક 87 પર પહોંચ્યો છે. સુરત જિલ્લામાં આજે 45 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1476 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે.