સુરત: શહેરના કામરેજ વિસ્તારમાં તાપી નદીમાં એક યુવક અને એક બાળકી ડૂબવાની ઘટના સામે આવી છે. કુલ 5 લોકો પાણીમાં ન્હાવા પડયા હતા.ત્રણ લોકો બહાર આવી ગયા જ્યારે 2 પાણીમાં ડૂબી ગયા. એક 21 વર્ષીય સિદ્ધાર્થ નામનો યુવક જ્યારે એક 8 વર્ષીય બાળકી માહી હરેશ વાનાણી પાણીમાં ડૂબી ગયા હતા. કામરેજ ઇઆરસી ઘટના સ્થળે પહોંચ્યું છે. બંને લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ લોકો વરાછા તિરૂપતિ સોસાયટીના હોવાનું સામે આવ્યું છે.


એડમિશન ચાલું હતાને બિલ્ડરે રાતોરાત શાળાને તોડી પાડી



મહેસાણા:  તળેટી ગામે બિલ્ડર દ્વારા  રાતોરાત સ્કુલ તોડી પડાતા વિવાદ ઉભો થયો છે.  સ્કુલના ટ્રસ્ટીએ જમીન દાનમાં આપ્યા બાદ ભાવ વધતા બિલ્ડરને વેચાણ કરી દીધાનો આરોપ લાગ્યો છે તો તો બિલ્ડરે આરોપોને નકારી કાઢ્યા છે.


શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ


મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ શાળાના ગામડાના ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ૨૦૦૧ થી જય સોમનાથ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી હતી. જોકે આ શાળા શરુ થયા બાદ આ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં શાળા શરુ કરવા જગ્યા આપેલ ત્યાર બાદ સમય જતા ટ્રસ્ટીઓ બદલાયા અને જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની જમીન અન્ય બિલ્ડરને વેચાણ આપેલ ત્યારે ગત રાતના રોજ બિલ્ડર દ્વારા આ શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ થયો છે.


અમે શાળાને જમીન દાનમાં આપેલ નથી









આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યનું શું?


તો બીજી તરફ જમીન લેનાર બિલ્ડર કહે છે કે અમે  હાલના શાળા સંચાલાકના કહેવાથી શાળા તોડી છે. આ જમીનના પ્લોટ વેચાણ રાખેલ છે  હાલના જે સંચાલક છે તે ખોટી રીતે જમીન પચાવવા અમને હેરાન કરે છે. જો કે સવાલ એ થાય છે કે,  કોઈ પણ બાધકામ ગેરકાદેસર થયું હોઈ તો તે કાનૂની રહે દુર થઇ શકે છે.  પરતું જે શાળામાં ધોરણ 9 અને ૧૦ ના વિધાર્થી અભ્યાસ કરતા હોઈ અને શાળાનું એડમીશન ચાલું હોઈ ત્યાં જ રાતના સમયે જેસીબી લઇ આવી આખી શાળા તોડી પાડવી કેટલી યોગ્ય છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યનું શું તે એક સવાલ છે.