સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ ત્રણ નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કદીર પીરજાદા, તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે આ અગ્રણી નેતાઓ વિરૂધ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતાં અને નેતાઓના પૂતળા દહન કરાયું હતું.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.સુરત મનપામાં ભાજપને 93 બેઠક અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે.