ભરૂચઃ અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ-પત્નિ વચ્ચે મોબાઈલ બાબતના ઝઘડામાં પતિએ ઘરમાં જ પંખા સાથે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. 


અન્ય એક ઘટનામાં અમદાવાદના નરોડામાં પરિણીતાએ આપઘાત કરતા ગુનો  નોંધાયો છે. નરોડા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. સાસુ, સસરા, દિયર અને પતિ સામે ગુનો નોંધ્યો છે. નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં ચોરી કરવા આવેલો ચોર ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે. સરથાણા વિસ્તારમાં લક્ષ્મણ નગરમાં ચોરી કરવા આવેલ ચોર પડી જતા મોતને ભેટ્યો છે. ચોરી કરવા આવેલ ત્યારે મકાન માલિક જાગી જતા ચોર ભાગ્યો હતો. ચોર ભાગવા જતા ધાબા પથી પડતા મોત નીપજ્યું છે. યુવક અમદાવાદથી ચોરી કરવા માટે આવ્યો હતો. સરથાણા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. 


 


Panchmahal : સગાઈ તૂટી જતાં યુવતીએ કરી લીધો આપઘાત, યુવતી ગર્ભવતી હોવાની પરિવારને શંકા


 


વડોદરાઃ પંચમહાલ જિલ્લાના નદીસર ગામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બે વર્ષ પૂર્વે થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવી આપઘાત કરી લીધો છે. પરિવારજનો છેલ્લા બે દિવસથી મૃતદેહ સાથે રાખી ધક્કા ખાઈ રહ્યા છે. યુવતી ગર્ભવતી હોવાની પરિવારને શંકા છે. 


 


સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા ગાંધીનગર રજુઆત કરી હતી. આખરે ફરિયાદ નોંધાતા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો છે. સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે. 









અન્ય એક ઘટનમાં ગાંધીનગરના સાંતેજ ગામમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહેતા મજૂર પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને લઈ ગયો હતો.


 


હાલ બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે. સાંતેજ પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા બે અલગ અલગ ટિમો બનાવી છે. આરોપી જાણભેદુ હોવાની પોલીસ અનુમાન સેવી રહી છે.