સુરત મનપામાં અનિતા દેસાઈને બદલે સોનલ દેસાઈ ટિકિટ આપવમાં આવી છે, જ્યારે લક્ષ્મણ બેલડીયાને સ્થાને નરેશ ધામેલિયાને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ગુરૂવારે પત્રકાર પરિષદ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના કોઈ પણ ઉમેદવારને ટિકિટ નહીં અપાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપ પ્રદેશ પાર્લેમેન્ટરી બોર્ડે નક્કી કર્યા પ્રમાણે, ત્રણ ટર્મ સુધી જીતનારા ભૂતપૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના સગાંને પણ ટિકિટ નથી આપી.