સુરતઃ ઓલપાડના બરબોધન ગામમાં આવેલી પેપર મીલમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. શ્રી રામ પેપર મીલમાં બ્લાસ્ટ થતાં મીલમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારો દાઝી ગયા છે. આ ચારેય કામદારોને સારવાર અર્થે સુરતની બી.એ.પી.એસ.હોસ્પિટલ ખસેડાયા છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે આજે વહેલી સવારે શ્રી રામ પેપર મીલમાં શોર્ટ સર્કિટ પછી આગ લાગી હતી અને પછી બ્લાસ્ટ થયો હતો. સુરક્ષાની દ્રષ્ટીએ અંદર કોઇને પ્રવેશ અપાતો નથી. જોકે, પોલીસે ચાર લોકો દાઝ્યા હોવાની માહિતી આપી છે.