સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખે કરી લીધી આત્મહત્યા, ક્યાંથી મળી લાશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Sep 2020 10:29 AM (IST)
ગજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
NEXT PREV
સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખે આત્મહત્યા કરી લેતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે, ગજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, આત્મહત્યાનું કારણ અકબંધ છે.