સુરતમાં તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પુણાના કેમિસ્ટ પાસે 50 હજારના તોડ કરવા મામલે કોન્સ્ટેબલ સહિત 3 જણાની ધરપકડ કરવામાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પંકજ ડામોરની ધરપકડ કરાઇ હતી.


અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ભવાની શંકરે ફરિયાદ કરી હતી. તેમનો આરોપ હતો કે તેમને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ 50 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. તેમણે આ મામલે પોલીસ કમિશ્નરમાં ફરિયાદ કર્યા બાદ ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી રૂપિયા પરત આપી દીધા હતા.


આ મામલે મેડીકલ સ્ટોરના વેપારી ભવાની શંકર રામલાલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પંકજ નામના પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો અને ત્રણની ધરપકડ કરી હતી.


SURAT: સુરતમાં હિરાના વેપારીઓ સાથે 120 કરોડની છેતરપિંડી, હીરાના પાર્સલમાં નિકળ્યા ગુટકાના ટુકડા


SURAT: શહેરના મહિધરપુરાના હીરા વેપારીને ઝાંસો આપી હીરાદલાલે હીરાના પાર્સલમાં હીરાની જગ્યાએ ગુટકાના ટુકડા મૂકી રૂ. ૧.૨૦ કરોડની ઠગાઇ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો જ્યાં વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ દલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા


અડાજણમાં દીપા કોમ્પ્લેક્સ સોસાયટીમાં અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂષભભાઇ ચંપકભાઇ વોરા હીરાના વેપારી છે. મહિધરપુરા- જદાખાડી ખાતે કનકશાંતિ બિલ્ડિંગમાં યુગ મહેતા સાથે તેઓ ભાગીદારીમાં ઓફિસ ચલાવે છે. છેલ્લા ચારેક માસથી દૂરના સંબંધી રાહિલ માંજની હીરાદલાલ તરીકે કામ કરતા હોય તેમણે રૂષભ વોરાની ઓફિસે આવી ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા. શરૂ-શરૂમાં તેઓ વચ્ચે બિઝનેસ બરાબર ચાલ્યો હતો. ત્યારબાદ ગત તા. ૧૩-૨-૨૩ના રોજ રાહિલે તેઓની ઓફિસે જઇ એક જ્વલેરી વેપારીને વધુ પ્રમાણમાં હીરાની જરૂરિયાત છે એમ કહી ૪૫.૯૧ કેરેટ વજનના હીરા લઇ ગયા હતા. ત્યારબાદ માર્કેટના નિયમ પ્રમાણે ૧૨.૦૮ લાખ વજનના હીરાનું પાર્સલ રાહિલને પરત પાર્સલ સીલબંધ હાલતમાં રૂપભ વોરાને આપી ગયો હતો અને ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા અને બાકીનું ૧૦.૦૮ લાખનું પેમેન્ટ એક-બે દિવસમાં ચૂકવવાની ખાત્રી આપી હતી. 


ત્યારબાદ વધુ હીરાની માંગ કરી એક સાથે પેમેન્ટ ચૂકવવાનો વાયદો આપ્યો હતો. જેથી વોરાએ રાહિલને હીરાના છ પેકેટ આપ્યા હતા. ૩. ૧૯.૯૬ લાખના આ હીરાના પેકેટ ચેક કર્યા બાદ બે પાર્સલમાં મૂક્યા હતા અને બંને પાર્સલ પર સહી કરી સીલબંધ કરી દીધા હતા. જોકે, દિવસો વીતવા છતાં રાહિલ હીરા લેવા આવ્યો ન હતો. અને ત્યારબાદ તપાસ કરતા રાહિલે અન્ય વેપારીઓને પણ ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી શંકા ઉપજતા ઋષભ વોરા અને તેમનો પાર્ટનર હીરાના સીલબંધ પાર્સલ લઇ અડાજણ પાટિયા ખાતે રાહિલના ઘરે ગયા હતા અને રાહિલ તથા તેના પરિવારજનોની હાજરીમાં પાર્સલ ખોલતા તેમાંથી ગુટકાના ટુકડા નીકળ્યા હતા