સુરતઃ લિંબાયત વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. જુનૈદ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઇ હતી. બુલેટના વેચાણ બાબતે હત્યા કરવામા આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  


Surat:  સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક, સીઆર પાટીલે ટ્વિટ કરી જાણો શું કહ્યું ?


સુરત :  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે   ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરવામાં આવી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે. 


ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું કે,  નવનિયુક્ત સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રમણભાઇ રાઠોડને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવા આપશ્રી સદાય સેવારત રહેશો.


કલોલમાં ST બસ ચાલકે કાબુ ગુમાવતા મુસાફરો પર બસ ફરી વળી, ચારના મોત, પાંચ ઘાયલ


ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


8 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.


અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપો ની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. 


કલોલ અબિકા નગર બસ સ્ટોપ પાસે આ ઘટના બની છે.


અમદાવાદ જવા બસની રાહ જોઇ ઉભા રહેલાં મુસાફરોને બસે ટક્કર મારી છે.


મળતી માહિતી મુજબ આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. 


ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 


GJ-18-Z-8881 નંબરની સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી. 


AR-01-Q-7291 નંબરની ખાનગી બસે ટક્કર મારી હતી. 


ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે


PM Awas yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ કરશે પીએમ મોદી, લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.


7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે