સુરતઃ ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે, ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીનું કોરોનાથી નિધન થયું છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયાના ત્રીજા દિવસે વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો હતો. દર્દીએ વીડિયોમાં સ્મીમેર હોસ્પિટલમાં સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.


વીડિયોમાં જ દર્દી હસમુખભાઈએ કહ્યું હતું કે કંઈ કરો નહિ તો હું મરી જઈશ. દર્દી મૂળ અમરેલીના અને સુરતમાં રત્નકલાકાર હતા. વીડિયો વાયરલ કર્યાના 4 દિવસમાં તેમનું કોરોનાથી મોત થયું છે.