ગાંધીનગરઃ કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં 67 વર્ષના વૃધ્ધનું મોત થયું છે. આ વૃધ્ધને અસ્થમાની તકલીફ હતી તેથી શ્વાસ લેવામા સમસ્યા નડતી હતી.


ગયા સપ્તાહે તેમને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ વૃધ્ધને આ પહેલાં સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ પૈકી એક વ્યક્તિનું મોત નિપજતાં કોરોનાવાયરસની ગંભીરતા વિશે લોકો વધુ જાગૃત થાય એ જરૂરી છે.

ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માત્ર 4 દિવસમાં જ ગુજરાતમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.