સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Continues below advertisement

Surat: કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ

સુરત:  સુરતના કેબિલ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે.  યુવકે છલાંગ લાગવતા લોકો એકત્ર થયા હતા. આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આપઘાત કરનાર વિદ્યાર્થી હોવાની ચર્ચા છે. કેબલ બ્રિજ પર રહેલા વૉચમેન સામે એક વિદ્યાર્થી અચાનક આવી પહોંચ્યો  પછી બેગ અને મોબાઈલ આપી દોડવા લાગ્યો.  વૉચમેનને શંકા જતા તેણે પણ વિદ્યાર્થીને પકડવા માટે પાછળ દોટ મુકી હતી.  પણ તે કઈ કરે એ પહેલા જ વિદ્યાર્થીએ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી.  ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું...ફાયરના જવાનોએ તાપી નદીમાં શોધખોળ શરૂ કરી.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ઘટના અંગે પોલીસ અને ફાયર દ્ગારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Continues below advertisement

લાખો રુપિયા લઈ સેટિંગ કરવાનો આરોપ લાગતા યુવરાજસિંહે કર્યો ધડાકો, ...આ લોકો કોઈપણ

હાલમાં સમગ્ર રાજ્યમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને ઘમાસાણ મચ્યું છે. ડમીકાંડને લઈને પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લઈ નામ જાહેર ન કરવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલે યુવરાજ સિંહે પોતાની પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે. ભૂતકાળમાં અઢી કરોડ રૂપિયાની ઓફર થઈ હતી પણ કોઈની પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો અને કોઈ નામ ન છુપાવ્યા હોવાનો પણ યુવરાજે દાવો કર્યો છે. અધિકારીઓને ડમી વિદ્યાર્થીઓ અને એજન્ટોના નામ આપ્યા હોવાની પણ યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે