સુરતઃ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઉંમરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બદનક્ષીની ફરિયાદ નોંધાઈ. ગૃહ મંત્રી હર્ષ સંઘવીને "ડ્રગ્સ સંઘવી " કહેતા ફરિયાદ નોંધાઈ છે. ડ્રગ બાબતે રાજકારણ શરૂ થયું છે. આ અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મારી વાતને લઈને એફ.આર.આઈ દાખલ કરવામાં આવી. અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ સપ્લાય થાય છે. લઠ્ઠાકાંડને લઈને પણ આકરા પ્રહારો કર્યા.




ગૃહમંત્રીએ ડ્રગ્સ આવતું રોકવુ જોઈએ. ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. અમે કોઈથી ડરતા નથી. હું પોલીસને અભિનંદન આપું છું. કેમ ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે. રાજ્યના ગૃહ મંત્રીના પણ કાળા હાથ હોઈ શકે.


Gujarat Election : જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવેઃ કેજરીવાલ


રાજકોટઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સેને સંબોધતાં  સુરતની ઘટનાને લઈને કેજરી વાલે આક્રમ પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું આ ગુજરાત અને દેશની સંસ્કૃતિ નથી. જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે.


સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું.હવે આ લોકો જનતા પર હુમલોઓ કરાવશે. પણ તમે સંયમ રાખજો. આ લોકો પત્રકારોને ફિટ કરાવી દેશે. રાજકોટમાં પત્રકાર પર પોલીસ ફરિયાદને લઈને કર્યા આકારા પ્રહારો.


આ વખતે ઝાડું નું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પુરા કરીશ. પોલીસ ગ્રેડ પે લઈને સરકારે શરતો રાખી. સુરતમાં 12 માંથી 7 સીટ આમ આદમી પાર્ટીની આવશે . ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. ભાજપના પેઈજ પ્રમુખો અમારી સાથે જોડાયા. શુ આપ્યું તમને ભાજપે. તમે ભાજપમાં રહો કામ અમારા માટે કરો. ગુજરાતમાં જબબરજસ્ત માહોલ બની ગયો. કાંઈક તો અમારા પર ભગવાનના આશિર્વાદ. મીડિયાવાળાને પણ આ લોકો ધમકાવે.