કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સતત કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસમાં દર્દીનો વિસ્ફોટ થયો હોય તેવું જાહેર થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં કરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે એક દર્દી દ્વારા તેમને જમવાનું આપવામાં આવે છે તે યોગ્ય નહીં હોવાની ફરિયાદ વીડીયો દ્વારા કરવામાં આવી હતી.
જોકે શુક્રવારે કોરોના પોઝિટિવ સાથે ચિરાગ વિનુભાઈ ગઠિયા સિવિલમાં દાખલ થયા હતાં. જેમણે વોર્ડમાં જમવાનું યોગ્ય ન મળતું હોવાનો એક વીડિયો બનાવીને વાયરલ કર્ય હતો. આ સાથે અન્ય દર્દીઓએ પણ આ જ વ્યથા રજૂ કરી હતી. જેથી નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ અને મજૂરાના ધારાસભ્યએ ભોજનની વ્યવસ્થા એક સંસ્થા દ્વારા કરી હતી. ત્યાર બાદ હોટલને વાત કરતાં હોટલ મેરીયટ દ્વારા દર્દીઓને ભોજન પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે.