સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R.Patil) સામે ફરિયાદ થઈ છે. થોડા દિવસ પહેલા સી.આર.પાટીલે સુરતમાં રેમડેસિવિર ઈંજેકશનનું  (Remdesivir Injection) વિતરણ કર્યુ હતું. જેને લઈ તેમની સામે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ(Paresh Dhanani) રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.


ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) નવસારીના સાંસદ (Navsari MP) અને ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. તેમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) સામે "અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન" ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાતા ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ (Gujarat Corona Cases) નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.  રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે. 


સૌરાષ્ટ્રના આ જાણીતા શહેરમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી


Coronavirus: દેશમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, પ્રથમ વખત બે લાખથી વધુ કેસ નોંધાતા હાહાકાર, સતત બીજા દિવસે 1000થી વધુ લોકોના મોત