સુરત: ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસી સજા મળ્યા બાદ આજે સુરત ખાતે તેમના ઘરે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન કાળજા કેરો ગીત વાગતા ગૃહમંત્રીની આંખમાં આંસુ આવી ગયા હતા તો બીજી તરફ ગ્રીષ્માના પરિવારના સભ્યો પણ રડવા લાગ્યા હતા. આ દરમિયાન ગ્રીષ્માની બહેન પણ રડવા લાગી હતી ત્યારે હર્ષ સંઘવીએ તેમને પાણી પીવડાવ્યું હતું અને માથે હાથ મુકી ગળે લગાવી હતી. આ ઉપરાંત તેમણે ગ્રીષ્માના દાદીના પણ આંસુ લૂછ્યા હતા.


 



ક્યું ગીત વાગતા ગ્રીષ્માના પરિવારને મળવા આવેલા હર્ષ સંઘવી રડી પડ્યા


ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા મળ્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હર્ષ સંઘવીને જોતા જ ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા તો બીજી તરફ કાળજા કેરો કટકો ગીતા વાગતા હર્ષ સંઘવી પણ રડી પડ્યા હતા. થોડીવાર માટે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગ્રીષ્માના હત્યારાને ઓછા સમયનાં ફાંસીની સજા મળતા સૌ કોઈ સુરત પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. આજે ગ્રીષ્માના ઘરે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા હર્ષ સંઘવી તમામ કાર્યક્રમો રદ કરી હાજર રહ્યા હતા.


વચન પૂરુ કર્યા બાદ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હર્ષ સંઘવી, પરિવારના આંસુ લુછ્યા
સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જ્યારે આ હત્યાની ઘટના બની ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને વચન આપવામાં આવ્યું હતું કે હું મારી બહેન ગ્રીષ્માને ન્યાય અપાવીશ. હવે જ્યારે કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે ત્યારે પોતાનું વચન પૂરૂ કર્યા બાદ હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા.


આ સમયે ગર્ષ સંઘવીને જોતા ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ છલકાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના આંસુ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે તમામ પોગ્રામો કેન્સલ કરી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા હતા. તો બીજી તરફ આરોપીને ફાંસીની સજા થતા ગ્રીષ્મા પરિવારમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માનો પરિવાર કામરેજના પાસોદ્રા ગામે રહે છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.


ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા, જાણો હવે આગળ શું થશે
સુરતના ચાકહરી ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આજે સુરત કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રીષ્માના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી તે ચુકાદાને અનેક લોકો બિરદાવી રહ્યા છે. પણ આ કેસમાં   થશે એ જાણવા સૌ કોઈ આતુર છે. હત્યારા ફેનિલનું ડેથ વોરંટ કયારે જાહેર થશે અને ક્યાં દિવસે ફાંસી આપવામાં આવશે એ સૌ કોઈ જાણવા માંગે છે. આ દરમિયાન ફેનિલના વકીલનું નિવેદન સામે આવ્યું છે.