આ ઘટના સુરતમાં ભટાર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં બની હતી. મોહિની વાનખેડે પતિની દારૂની આદતને કારણે પારિવારિક ઝઘડાથી કંટાળીને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. મોહિની સાથે તે પોતાની બે માસુમ નાની દિકરીઓને પણ લઈ આવી હતી.
ધુળેટીના દિવસે મોહિનોનો પતિ દારૂના નશા મોહિતીના પિયરમાં પહોંચી ગયો હતો અને બંને બાળકોને પોતાની સાથે લઈ જવાની જીદ પકડી હતી. આ દરમિયાન પત્ની સાથે માથાકૂટ થતાં તેણે ચપ્પાના ઘા મારી દીધા હતા ત્યાર બાદ ત્યાંથી જતો રહ્યો હતો. મોહિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ટુંકી સારવાર અંતે તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે પતિની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે પોતાના ભાડાના મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.