ભાજપના નેતાએ ગોરખપુર જતા લોકો પાસે 658 રૂપિયા માંગતા વિવાદ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2020 09:57 AM (IST)
ભરુચના ભાજપના નેતા એલ.બી. પાંડેએ ગોરખપુર જતા લોકોને ૬૫૮ રૂપિયા લઈ પોતાની શાળાએ બોલાવ્યા છે.
ભરુચઃ કોરોનાના કહેર વચ્ચે હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા કામદારો વતન પરત ફરી રહ્યા છે. જોકે, આ કામદારોને વતન જવા માટે જાતે જ ભાડું ચુકવવું પડી રહ્યું છે. ત્યારે ભાજપના એક નેતાએ ગોરખપુર જતા લોકો પાસે 658 રૂપિયા માંગતા વિવાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે ભરુચના ભાજપના નેતા એલ.બી. પાંડેએ ગોરખપુર જતા લોકોને ૬૫૮ રૂપિયા લઈ પોતાની શાળાએ બોલાવ્યા છે. ગોરખપુર મોકલવા રજિસ્ટ્રેશન માટે રૂપિયા માંગતા વિવાદ થયો છે. બીજી તરફ કોંગ્રેસ આવા કામદારોને વતન જવા માટે રૂપિયા આપી રહી છે.