સુરત ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરથાણાથી મીની બજાર સરદાર પ્રતિમા પહોંચી હતી. વરાછા વિસ્તારમાં સરદાર પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન એક યુવક મનીષ સીસોદીયાને પાસની ટોપી પહેરાવવા આવ્યો હતો, પરંતુ પહેલા મનીષ સીસોદીયાએ ટોપી પહેરવાની ના પાડી હતી. બાદમાં ગોપાલ ઈટાલીયાએ મનીષ સીસોદીયાના કાનમાં કંઈક કહેતા તેમણે ટોપી પહેરી લીધી હતી.