Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરતમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જનભાગીદારી' કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમ પહેલાથી જ ચાલી રહેલા જલશક્તિ અભિયાન - કેચ ધ રેઈનને અનુરૂપ છે, જે લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સામૂહિક જળ વ્યવસ્થાપનના PM મોદીના વિઝનને મજબૂત કરશે.






જળ સંરક્ષણ માટે મોટી પહેલ


આવી સ્થિતિમાં, જળ સંરક્ષણની દિશામાં આ એક મોટી પહેલ બનવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. નોંધનીય છે કે, PM મોદી દ્વારા તેમના મન કી બાત ભાષણમાં જળ સંચય પર આપવામાં આવેલા ભારથી પ્રેરિત થઈને, વર્ષ 2019 માં, જલ શક્તિ અભિયાન (JSA) 256 જળ તણાવગ્રસ્ત જિલ્લાઓના 2,836 બ્લોકમાંથી 1,592 બ્લોકમાં શરૂ કરવામાં આવ્યું હતું. દેશ કોવિડ રોગચાળાને કારણે 2020માં JSA લોન્ચ થઈ શક્યું નથી. વર્ષ 2021 માં, "જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન" (JSA: CTR) ની શરૂઆત દેશના તમામ જિલ્લાઓ (ગ્રામીણ અને શહેરી વિસ્તારો) ના તમામ બ્લોકને આવરી લેવા માટે કરવામાં આવી હતી જેમાં 'કેચ ધ રેઈન'નો સમાવેશ કરવામાં આવ્યો હતો. "જલ શક્તિ અભિયાન: કેચ ધ રેન" અભિયાન હવે વાર્ષિક વિશેષતા બની ગયું છે અને JSA ની પાંચમી આવૃત્તિ 09 માર્ચ 2024 ના રોજ મુખ્ય થીમ "નારી શક્તિ સે જલ શક્તિ" સાથે શરૂ કરવામાં આવી હતી.


પીએમ મોદીએ શું કહ્યું?


પીએમ મોદીએ કહ્યું, આજે ગુજરાતની ધરતી પરથી, જલ શક્તિ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં, તાજેતરના ભૂતકાળમાં, દેશના ખૂણે-ખૂણે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે. જે દેશને આ આફતના કારણે કટોકટીનો સામનો કરવો પડ્યો ન હતો. આ વખતે ગુજરાતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો. કુદરતના આ પ્રકોપને સહન કરવા માટે તમામ તંત્રમાં તાકાત ન હતી પરંતુ ગુજરાતની જનતા અને દેશવાસીઓનો સ્વભાવ છે કે સંકટના સમયે દરેક વ્યક્તિ ખભે ખભા મિલાવીને બધાની મદદ કરે છે.


આજે પણ કેટલાક રાજ્યોમાં ભયંકર વરસાદ છે. જળ સંચય એ પોલિસી નથી, આ એક પ્રયાસ છે અને વરદાન છે. આવનારી પેઢી જ્યારે આંકલન કરશે ત્યારે પ્રથમ પેરામીટર પાણીનો હશે. આ પ્રશ્ન જીવનનો છે, માનવતાનો ભવિષ્યનો છે, નવ સંકલ્પ છે તેમ જળ સરક્ષણ પહેલું સંકલ્પ છે. મને આનંદ છે કે જન ભાગીદારીમાં યોજના પ્રારંભ થાય છે.


ભારતમાં ફ્રેશ વોટરની માત્રા માત્ર ૪ ટકા જ છે. ભારત દેશના કેટલાક ભૂ ભાગને પાણીની સમસ્યા છે. પાણીનું સંકટ વધી રહ્યું છે. ભારત જ છે જે સંકટનું સમાધાન શોધી શકે છે. ભારતની પુરાતન પરંપરામાંથી ઉકેલ આવે છે. ભારતમાં જળને ઈશ્વરનું રૂપ માન્યું છે. નદીઓને માતા કહી છે. આ સબંધ હજ્જારો વર્ષો પહેલાંનો છે. આપડા ગ્રંથો કહેવાયું છે કે, તમામ પ્રાણી જળથી ઉત્પન થયા છે. જળ દાન સૌથી મોટું દાન છે.


આ કાર્યક્રમ ગુજરાતની એ ધરતી પર શરૂ થયો છે. જ્યાં ઘણા સફળ પ્રયોગો થયા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જળ સંકટ હતું એ ખબર છે. દુનિયાને બતાવીને રહીશું કે જળ સંકટનું સમાધાન થઈ શકે છે. વિપક્ષના લોકો મજાક ઉડાવે છે. પાણીની પાઇપ લાઇન નાખી છે તેમાં હવા નીકળશે તેવું વિપક્ષ કહેતા હતા. આજે જળ યોજના ગુજરાતમાં સફળ છે. પહેલા પણ હજ્જારો કરોડોની યોજના આવતી હતી, પરંતુ પરિણામ છેલ્લા ૧૦ વર્ષમાં જોવા મળી છે. હાલ પહેલી વાર જળ શક્તિ મંત્રાલય બન્યું છે, પહેલા ૩ કરોડ ઘરોમાં પાઈપથી પાણી મળતું હતું. હવે ૧૫ કરોડ ઘરોમાં પાણી પહોંચે છે.