Surat: સુરતના વ્યારામાંથી વધુ એક મોટી ગંબીર બેદરકારીની ઘટના સામે આવી છે, આ બેદરકારીના કારણે એક મહિલાનું મોત થયાના પણ સમાચાર છે. સુરતના વ્યારાની સરકારી હૉસ્પીટલની ડૉક્ટરની ગંભીર બેદરકારીના એક ગર્ભવતી મહિલાનું મોત થયુ છે, આ મોત બાદ મહિલાના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે, અને આરોપો લગાવી રહ્યાં છે. 


માહિતી પ્રમાણે, સુરતના વ્યારામાં આવેલી સરકારી હૉસ્પીટલમાં એક મહિલાનું મોત ત્યારે થઇ ગયુ જ્યારે તે ગર્ભવતી હતી, પ્રેગનન્ટી મહિલાની ડિલીવરી દરમિયાન ડૉક્ટરે બેદરકારી દાખવી હતી, આ કરાણે ડિલેવરી દરમિયાન વધુ પડતુ લોહી વહી ગયુ, વધુ પડતુ લોહી વહી જતા આ ગર્ભવતી મહિલાને બાદમાં તબિયત લથડી અને સુરત સિવિલ હૉસ્પીટલ રેફર કરવામાં આવી હતી, જ્યાં મહિલાનું મોત થયુ હતુ. જોકે, મહિલાનુ મોત થયુ પરંતુ તેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે અને ડૉક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. 


 


Bageshwar Sarkar in Gujarat: સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં સી.આર.પાટીલ પણ રહી શકે છે હાજર


Surat News: બાગેશ્વર સરકારનો આગામી દિવસોમાં ગુજરાતના મોટા શહેરોમાં લોક દરબાર યોજાનારો છે. સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.


રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે ફેંક્યો પડકાર ?


દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.