Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં થયેલા ડ્રામાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આજે નિલેશ કુંભાણીને ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. જે બાદ બીજેપીએ વગર મતદાને પ્રથમ બેઠક જીતી લીધી છે. તો બીજી તરફ હવે માહિતી સામે આવી રહી છે કે, નિલેશ કુંભાણી કેસરિયા કરશે.


ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે. જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે. આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી ભાજપમાં જોડાશે. તો બીજી તરફ કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે. નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની તૈયારી ભાજપે પૂર્ણ કરી લીધી હોવાની માહિતી પૂર્ણ કરી લીધી હોવાની માહિતી સામે આવી છે.


મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ મળ્યું


Elections 2024: સુરત લોકસભાની ચૂંટણીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ અંગેના એબીપી અસ્મિતા પાસે સુપર એક્સક્લૂઝીવ દ્રશ્યો આવ્યા છે. મુકેશ દલાલ મતદાન પહેલા સુરતના સાંસદ બન્યા છે.  ચૂંટણી અધિકારીએ મુકેશ દલાલને જીતનું સર્ટીફિકેટ આપ્યું છે.




મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે મુકેશ દલાલને પાઠવી શુભેચ્છા


મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક્સ (અગાઉ ટ્વિટર)પર લખ્યું, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.


લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી. 


ગુજરાતમાં પ્રથમ વખત લોકસભા સાંસદ બિનહરિફ


સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. સુરત લોકસભા બેઠક પર માત્ર મુકેશ દલાલ જ ઉમેદવાર છે. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત લોકસભા બેઠક વગર મતદાને જ સાંસદ મળ્યા હતા. હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. મુકેશ દલાલ ભાજપના પ્રથમ સાંસદ હશે જે બિનહરીફ ચૂંટાયા હતા. અત્યાર સુધી ભાજપના કોઈ સાંસદ બિનહરીફ  જાહેર થયા નથી.


સુરતમાં ભાજપના ઉમેદવારની જીત પર ગુજરાત ભાજપે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.  ગુજરાત ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ. નોંધનીય છે કે કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.