સુરતઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો છે. સુરતમાં પાંચ દિવસમાં 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટી આવ્યા છે. એક ક્લાસિસમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને ક્લાસિસને બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે. 



આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ન્યુ સિટીલાઇટ સ્થિત જ્ઞાનવૃદ્ધિ ક્લાસિસમાં 2 વિદ્યાથી કોરોના પોઝિટીવ આવ્યા છે.  કોવિડ પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં આંશિક વધારો થયો છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રે કલાસીસ ૧૪ દિવસ માટે બંધ કરાવી દીધું છે. ૧૨૫ વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ કરવા સૂચના અપાઇ છે. 


ગુજરાતમાં આજે કોરોનાના નવા 14  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  90,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, વલસાડ 3,કચ્છ 2, અમદાવાદ કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 212 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,15,960 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, વલસાડ 3,કચ્છ 2, અમદાવાદ કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 571   નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7634 નાગરિકોને રસીનો પ્રથમ અને 15970 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24045 નાગરિકોને રસીનો પ્રથમ અને 41940 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 90,161 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,64,21,639 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.