સુરતઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના સંક્રમણને પગલે આ ચાર મહાપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાસ પગલા ભરવામાં આવી રહ્યા છે.


સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે. પાલિકા હવે સોસાયટી,ઔદ્યોગિક એકમો,ડાયમંડ ટેકસટાઇલ યુનિટો ,કારખાના, મોલ, માર્કેટોના સીસીટીવીનો ઉપયોગ કરી દંડ ફટકારશે. સામાજિક અંતર નહીં જાળવનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.