Surat Crime News: સુરતમાં એક ઘરેલુ છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરના અમરોલી વિસ્તારમાં એક છ વર્ષની બાળકીને પોતાના જ નાના દ્વારા શારીરિક શોષણ અને છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ ખુદ બાળકીના પિતાએ નોંધાવી છે, આ ઘટનામાં નાના-નાની અને માતા વિરૂદ્ધ પૉક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. 


ઘટનાની વિગતો એવી છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં એક પિતાએ પોતાની બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને લઇને શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરોલીમાં રહેતી એક યુવતીના પહેલા લગ્ન થયા હતા, જે નિષ્ફળ જતાં તેના છૂટાછેડા લઇને બીજા લગ્ન કરાવાયા હતા. પરિણીતાને બીજા લગ્નથી એક બાળકી જન્મી હતી, જોકે, પરિણીતાને બીજા લગ્નમાં પણ પતિ સાથે ઘરેલુ કંકાસ અને માથાકૂટ થતાં બીજીવાર પણ પરિણીતાએ છૂટાછેડા લીધા હતા. આ કિસ્સામાં પરિણીતાની છ વર્ષની બાળકી તેના પિતા સાથે રહેતી હતી, અને ક્યારેક ક્યારેક પોતાની માતા અને નાના-નાની સાથે મળવા અને રહેવા આવતી હતી. પરંતુ આ ઘટનામાં છ વર્ષની બાળકીના નાના ખુદ તેની સાથે શારીરિક અડપલાં કરતાં હતા, નાનાએ વર્ષ 2022માં અડપલાં કર્યા હોવાની વાત સામે આવતાં જ બાળકીના પિતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પિતાએ નાના-નાની અને બાળકીની માતા વિરૂદ્ધ પૉક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. 


સુરતમાં ફરી સામે આવી હનીટ્રેપની ઘટના, રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા ને પછી...


ડાયમંડ નગરી સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણની ધરપકડ કરી હતી, જયારે ચાર વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતના ડભોલીમાં રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હનીટ્રેપમા ફસાવ્યો હતો. રેપ કેસની ધમકી આપી બે લાખ રૂપિયાની માગણી કરી હતી અને રત્નકલાકાર 70000 રૂપિયા આપવા તૈયાર હતો. રત્નકલાકારે 50000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા અને 5000 રોકડા આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ રત્નકલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માગ્યા હતા. રત્નકલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી હતી. ઉપરાંત હરેશ હિતેશ સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.


ફેસબુકના માધ્યમથી થઈ હતી મિત્રતા

રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. નંદની રત્નકલાકારને મળવા બોલાવતી હતી પરંતુ યુવક જતો ન હોતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે તે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદની ને મળવા ગયો હતો. રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો તેવામાં બે ઇસમો આવ્યા હતા, ત્યારબાદ અન્ય 3 ઇસમો આવ્યા હતા. તમામે રત્ન કલાકારને બંધક બનાવ્યો અને તેની પાસેથી બાઈકની ચાવી લીઇને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્નકલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરી હતી.