સુરતઃ સુરતના સરથાણામાં એક કોચિંગ સેન્ટરમાં લાગેલ આગમાં 20 જેટલા બાળકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. કોચિંગ સેન્ટર તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગના ત્રીજા માળ પર હતું. વીડિયોમાં અનેક બાળકો જીવ બચાવવામાં બહાર કુદતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાથી બોલિવૂડમાં પણ શોકની લાગણી પ્રવર્તી છે. અમિતાભથી લઈને ઉર્મિલા જેવા સ્ટારે સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે.


બોલિવૂડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને ટ્વીટર પર પોસ્ટ કરી લખ્યું કે,‘સુરતની ભયાનક ત્રાસદી…એક વિનાશકારી આગ અને તેમાં ફસાયા 14-17 વર્ષના બાળકો. બાળકો ભયંકર આગથી બચવા માટે નીચે કૂદવા લાગ્યા અને જીવ ગુમાવ્યો. આટલો દુ:ખી છું કે કશું કહી નથી શકતો. દુઆ..’ ઉપરાંત એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે પણ ટ્વીટ કરી લખ્યું કે,‘આજે સૂરતમાં અગ્નિકાંડ વિશે સાંભળીને દુ:ખી છું. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.’ આગળ જુઓ ક્યા ક્યા સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું......