સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચઈ ગઈ છે.  બે દિવસ માં બે હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. પતિ-પત્નીના ઝગડાનો કરુણ અંજામ આવ્યો છે. 
પતિએ પત્નીના માથામાં પથ્થરના ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી. 


શહેરના વરાછા વિસ્તારમાં આવેલ પટેલનગરમાં મહિલાની હત્યા થઈ છે. મહિલાને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી.  સવારે 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન કરવામાં આવી હત્યા. 
35 વર્ષના લગ્ન ગાળામાં નિઃસંતાન દામ્પત્ય જીવન હતું. જોકે, સામાન્ય ઝગડાને લઈને પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી.


હત્યારો પતિ બિહારનો વતની અને વોચમેન છે. મહામારી અને બેકારીને લઈ પતિ વતન જવાની જીદ કરતો હતો. પરંતુ પત્નીએ સુરતમાં રહેવાની જીદ કરતા બન્ને વચ્ચે ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો.  હત્યાની જાણ થતાં વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને પકડી લીધો હતો.  આ દંપતી 13 વર્ષથી સુરતમાં રહેતું હતું. દુર્ગાવતી સાધુ ચરણ કેસરી (ઉ.વ. 55)ની હત્યા કરાઈ. આરોપી સાધુ ચરણ (65 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે. 


હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા 10 દિવસથી ઝગડો કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યાનો આરોપી પોતાની કમાણીનું બેંકમાં બેલેન્સ કરતો હતો. પત્નીની કમાણી પર જીવતો હતો. જોકે, ટેક્સટાઇલ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાને કારણે પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.