Surat News: સુરતમાં અચાનક મોતના બનાવનો સિલસિલો ચાલું છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના પ્રોફેસર ડો.ઋષભ શાહનું મોત થયું છે. યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ રમતા રમતા અચાનક ખેંચ આવતા પ્રોફેસર મેદાન પર ઢળી પડ્યા હતા. જે બાદ સ્ટાફના અન્ય લોકો દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રોફેસરનું મોત થયું હતું. મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ બાદ જાણી શકાશે. પ્રોફેસર મૂળ માંડવીના અને બાબેન લેક સીટી બાબેન ગામ ખાતે રહેતા હતા. સ્પોર્ટ્સ ડે પર પ્રોફેસરના નિધનથી વિદ્યાર્થીઓ સહિત સાથીકર્મીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


થોડા દિવસ પહેલા સુરતમાં એક જ દિવસમાં ત્રણ લોકોના અચાનક મોત થયા હતા. સુરતના અમરોલીમાં મિત્રની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતી વખતે યુવક ઢળી પડ્યો હતો. અમરોલીના છાપરાભાઠા ખાતે નીચલી કોલોનીમાં રહેતો 26 વર્ષીય વિજય શંકર રાઠોડ મોડી રાત્રે ઘર પાસે મિત્રની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતો હતો તે સમયે તેની તબિયત બગડતા ઢળી પડયો હતો. જેથી તેને તરત 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે વિજય છુટક મજુરી કામ કરતો હતો.


રાંદેરના મોરાભાગળ ખાતે દેવ આશિષ સોસાયટીમાં રહેતો 35 વર્ષીય મનીષ બલદેવ સુરતી અડાજણમાં પ્રાઈમ આર્કેડ પાસે એટીએમ માંથી પૈસા ઉપાડીને બહાર આવ્યો હતો. તે સમયે તેને અચાનક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મનીષ મૂળ ઓલપાડનો વતની હતો. તે પાલિકામાં ફાયલેરીયા વિભાગમાં ફરજ બજાવતો હતો. વરાછા બોમ્બે માર્કેટ પાસે રેણુકા ભવન નજીક સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા 38 વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર શનિવારે બપોરે ઘરમાં કામ કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની હતા. તેમને બે સંતાન છે.  


આ પણ વાંચોઃ


કેન્દ્ર સરકાર માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ કરી શકે છે CAAના નિયમ, પોર્ટલ થયું તૈયારઃ સૂત્ર


નડિયાદમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, સ્ટેટ મોનિટરીંગ સેલે બોલાવ્યો સપાટો