Surat: દુબઇ ટૂરની મજા લેવા ઇચ્છતા ત્રણ લૂંટાયા, એજન્ટે 15 લાખ ખંખેરીને પકડાવી દીધી નકલી ટિકીટ, ને પછી....

સુરતમાંથી વધુ એક મોટું ફ્રૉડ સામે આવ્યુ છે, આ વખતે એક શખ્સે ટૂરના નામે ત્રણ વ્યક્તિઓ પાસેથી લગભગ 15 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના ઘટી છે

Continues below advertisement

Surat News: સુરતમાંથી વધુ એક મોટું ફ્રૉડ સામે આવ્યુ છે, આ વખતે એક શખ્સે ટૂરના નામે ત્રણ વ્યક્તિઓ પાસેથી લગભગ 15 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના ઘટી છે. માહિતી પ્રમાણે, અગાઉ પણ આ ટૂર ઓપરેટર શખ્સે થાઇલેન્ડના નામે પૈસા લઇને ટૂરની વ્યવસ્થા કરી હતી, પરંતુ આ વખતે દુબઇ ટૂરના નામે બૉગસ ટિકીટ પકડાઇને ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી 14 લાખ રૂપિયા ખંખેરી એક ટૂર ઓપરેટર રફૂચક્કર થઇ ગયાની ઘટનાથી લોકોમાં તર્ક વિતર્ક છે. શહેરના કતારગામમાં રહેતો એક ટૂર ઓપરેટર શહેરમાં ટૂરના નામે પૈસા ઉઘરાવતો હતો, તેને આ કિસ્સામાં ત્રણ શખ્સો પાસેથી 14.31 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા અને બાદમાં રફૂચક્કર થઇ ગયો હતો. અગાઉ પણ હેમીન તલાટી નામના શખ્સને ધંધાર્થીને થાઈલેન્ડની ટૂરની વ્યવસ્થા કરી આપી હતી અને હવે દુબઈની ટૂરનું કામ સોંપ્યું હતુ અને પૈસા સલવાયા હતા. ટૂરના નામે પૈસા ઉઘરાવ્યા બાદ જ્યારે વિઝા સમસયર ના મળ્યા ત્યારે તપાસ કરવામાં આવી અને આ તપાસમાં ટિકીટ જ બૉગસ જ હોવાનુ બહાર આવ્યુ હતુ. 

Continues below advertisement

સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા

સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર 32 વર્ષના નરાધમ ને સજા ફટકારવામાં આવી છે.  કતારગામની 16 વર્ષ 8 માસની તરૃણીને લગ્નની લાલચે ભાવનગર ભગાડી  દુષ્કર્મ આચરનાર 31 વર્ષીય પરણીત રત્નકલાકારને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્તકેદ, રૂ.50 હજાર દંડ ભરે તો તેમાંથી 45 હજાર તથા 50 હજાર મળીને પીડિતાને કુલ 90 હજાર વળતર ચુકવવા, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો નિર્દેશ આપ્યો છે.

સુરતમાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતાં 31 વર્ષીય પરણીત આરોપી યોગેશ છગનભાઈ કળસરીયા(રે.હરીધામ સોસાયટી, પુણાગામ)એ કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષ તથા 8 માસની વયની તરૂણીનો ઈન્સ્ટાગ્રામ આઈડીથી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તરૂણીને લગ્નની લાલચ આપીને તા.7-2-23 રોજ પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની અડધી ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચર્યું હતુ. તરૂણીને પિતાની ફરિયાદને આધારે કતારગામ પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

શુક્રવારે કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 29 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપી યોગેશ કળસરીયાને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આરોપીના બચાવપક્ષે આરોપીની વય, પરણીત હોઈ કુટુંબની જવાબદારી તથા ગુનાઈત ઈતિહાસ ન હોઈ સજામાં રહેમની માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની 14 વર્ષ નાની તરૃણીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો છે. હાલમાં સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાનું પ્રમાણ વધી રહ્યું હોઈ આવા ગુનાને હળવાશથી લેવાના બદલે સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા, દંડ અને વળતર ચુકવવા કરેલી માંગને કોર્ટે માન્ય રાખી હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola