સુરત: નોટબંધીની અછત સર્વત્ર વર્તાઈ રહી છે ત્યારે આ સમસ્યા નો ઉકેલ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી એ કેશલેસ વ્યવસ્થાને ગણાવી છે. ત્યારે સુરતના મહિધરપુરા વિસ્તારમા બ્રાહ્મણો એ યજમાનો પાસેથી ચેક સ્વીકારીને નોટબંધીને સમર્થન જાહેર કર્યું છે. સાથોસાથ યજમાનો એ પણ કેશલેસ વ્યવસ્થાને અપનાવી બ્રાહ્મણોને ચેક અર્પણ કરી કાળાંનાણાની લડાઈ મા પોતેં પણ સાથે હોવાનો સુર પુરાવ્યો છે.