એક દિવસના પ્રતિક ઉપવાસ કરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરી હતી. બાદમાં તેમની ધરપકડ કરીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત 9 લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.
હાર્દિક પટેલે કહ્યું, ઉપવાસ વખતે અમારી ગેરકાયદે રીતે પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં પીઆઈ ચાવડાએ અમારા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરીને મારી નાખવાની ધમકી પણ આપી છે. હાર્દિકે કહ્યું કે પીઆઈ ચાવડાના આ પ્રકારના વર્તન અંગે અમે હાઈકોર્ટમાં જઈશું. આ સાથે જ પોલીસ ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.