સુરતઃ ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ નહીં, તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. હવે પહેલી ઓગસ્ટે બકરી ઇદ આવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. બકરી ઈદના દિવસે કુરબાની પર પ્રતિબંધ લગાવાયો છે.


સુરત શહેરની જાહેર જગ્યામાં, ખાનગી જગ્યામાં, શેરીઓમાં, મહોલ્લામાં પશુની કતલ પર પ્રતિબંધ લગાવાયો છે. સહેલાઈથી દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બકરી ઈદના દિવસે કોઈપણ પશુને શણગારી જાહેર રોડ પર લાવવાની મનાઈ છે. તેમજ સરઘસ કાઢવા પર મનાઈ છે.