સુરતઃ સુરતના પનાસ ગામમાં પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ ગઈ હતી. બબાલ થતાં મામલો શાંત પાડવા માટે પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું. પનાસ ગામમાં પાલિકા દ્વારા શનિ દેવના મંદિર નું ડીમોલેશન કરતા પાલિકા અને પબ્લિક આમને સામને આવી ગયા હતા. મંદિરના ડિમોલિશનને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.