સુરત: શહેરના હજીરા નજીક આવેલ દામકા ગામે એક ખેડુત બિપિન ભાઈ છગન ભાઈનાં ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા વરસાદનો વરતારો સારો રહેશે એમ લોક વાયકા છે અને ચોમાસું સારું રહેશે. ભારતની કૃષિ પ્રધાન દેશ છે. આજે ટેકનોલોજીના યુગમાં મોસમ પ્રમાણે આગાહી થઈ શકે છે પરંતુ એક સમયે એવો હતો જ્યારે હવામાન અંગેની જાણકારી અંગે કોઈ સંશોધન ઉપલબ્ધ ન હતા ત્યારે આપણા પૂર્વજો જુદા જુદા પરિબળોને અભ્યાસ કરી હવામાં અંગેની આગાહી કરતા હતા. ખાસ કરીને ભર ઉનાળામાં ટીટોડીના ઈંડા ઉપરથી આગાહી કરતા હતા. જો કે આજે પણ ભારતના ખેડૂતો પ્રાચીન કાળથી થતી વરસાદની આગાહી અને વરતારા પર શ્રદ્ધા છે ત્યારે દામકા ગામના પટેલ ફળિયામાં ટીટોડી ઇંડા મુકતા આ વર્ષમાં પણ ચોમાસું સારું રહેશે એવા એંધાણ બતાવ્યા છે.


પિત્ઝા ખાવાના શોખીનો ચેતી જજો! 


સુરત: પિત્ઝાનું નામ પડતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજકાલ પિત્ઝાનો ટ્રેન્ડ ખુબ વદ્યો છે. નાનાથી લઈને મોટેરા સુધી બધા લોકો પિત્ઝાના દિવાના છે. જો કે, પિત્ઝા ખાતા લોકોને હવે ચેતવાની જરુર છે. કારણ કે, સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત 6ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.


સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.


આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા


સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ









પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ


ડેન્સ પિઝા, અડાજણ


ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ


જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)


સુરતમાં પરિણીતાએ નહેરમાં લગાવી મોતની છલાંગ


કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાં ત્રણ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. પહેલા યુવતી આત્મહત્યા કરવાના ઇરાદે કુદી હતી. જે બાદ યુવતીને બચાવવા તેનો પતિ અને સાસુ પણ કૂદયા હતા. ગઈ કાલે સાંજના સમયે માંડવી નજીક આ દુર્ઘટના બની હતી. મોડી સાંજે સાસુ સિલા બેન ગામીતનો મૃતદેહ મળી આવ્યો હોત. જ્યારે યુવક અને યુવતીની ફાયર વિભાગ શોધખોળ કરી રહ્યું છે. પરિવાર માંડવીના અંકુર હોસ્પિટલ પાછળ રહેતો હોવાની વાત સામી આવી છે. જોકે, પરિણીતાએ આ પગલું ક્યા કારણોસર ભર્યું તેની માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ આ ઘટનાક્રમની સચ્ચાઈ સામે આવશે.