સુરતઃ ગટરમાં 2 લોકોના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાનો પાવડર મેળવવાની લાલચમાં 2 યુવાનો મોતને ભેટ્યા છે. બંને લોકોને કોઇપણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતાર્યા ન હતા. બન્ને યુવાનો સ્વયંભૂ ગટરમાં માટી કાઢવા બહાર નીકળ્યા હતા. માટીમાંથી સોનાનો પાવડર શોધી આ બંને યુવકો કમાણી કરે છે. બંને યુવકોની ઓળખ નહીં.


અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. એ સોનાનો પાવડર મેળવવા બંને યુવાનો ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા હતા. 


સુરતઃ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં 16 એપ્રિલે કોર્ટ ચુકાદો આપશે. બંને પક્ષકારોની દલીલ પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધી 105 સાક્ષીઓની લેવાઈ જૂબાની લેવામાં આવી છે. મળતી  જાણકારી અનુસાર, ચકચારી સુરત ગ્રીષ્મા હત્યા કેસનો 16મી એપ્રિલે ચુકાદો આપશે.


આ કેસમાં અત્યાર સુધી 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. અને 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા કેસને લઈને તમામ પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે. FSLએ મોબાઈલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની જુબાની આપી છે. અને આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેંટ લેવામાં આવ્યું છે.


પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. સરકાર પક્ષે આ કેસમાં વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપ્યું છે. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીઓને તપાસ્યા હતા અને બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ગત 12મી ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગળુ કાપી હત્યા કરી નાખી હતી


આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની  આગાહી
















રાજ્યના છ શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજથી ત્રણ દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.