Surat News:  સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક  પરશોત્તમ રૂપાલાએ આજે જાહેરસભાને સંબોધિત કરી હતી. લોકોને સંબોધતા રૂપાલાએ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણે ખાનદાન જોઈને દીકરી આપીએ છીએ. એવી જ રીતે ખાનદાન જોઈને મત અપાય છે. જે ખાનદાન હિંદુ સંસ્કૃતિનો વિરોધ કરે તેને મત ન અપાય. 

વધુમાં તેમણે કહ્યું હતું કે સુરતની જનતા નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપે છે એટલે વિશ્વભરમાં ભારતનું નામ થયું છે. અલગ અલગ દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે. એ યુદ્ધની સ્થિતિમાં ભારત એલપીજી પેટ્રોલ-ડીઝલ લાવી રહ્યું છે. ભલે ગમે તે દેશ એકબીજા સાથે યુદ્ધ લડતા હોય પરંતુ એ તમામ દેશો સાથે ભારતના સારા સંબંધ છે. યુદ્ધ લડનારા તમામ દેશો ભારતના મિત્ર છે અને એટલે જ ભારતને એલપીજી પેટ્રોલ ડીઝલ કન્ટેનર ભારત સુધી આવે છે. આ બધું કેમ શક્ય બન્યું છે. કારણ કે સુરતની જનતા નરેન્દ્ર મોદીને વોટ આપે છે.

સુરતમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા મનસુખ માંડવિયા

Continues below advertisement
Continues below advertisement

મનસુખ માંડવિયા સુરતમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. મોટા વરાછામાં મનસુખ માંડવિયાએ જાહેરસભા યોજી હતી. માંડવિયાએ કહ્યું હતું કે આપણા વરાછામાં કલંક ન લાગવું જોઈએ. એવું કલંક ન લાગવું જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી. ભાજપનું બીજ સુરતના વરાછામાં ઉગ્યું હતું.                                                                                         

અમદાવાદમાં ભાજપના નેતાઓ જનતાના રોષનો ભોગ બન્યા

અમદાવાદના ઓઢવમાં ભાજપના નેતાઓ જનતાના રોષનો ભોગ બન્યા હતા. ઈન્દિરા આવાસમાં ભાજપની સભામાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બેનર અને પ્લેકાર્ડ દર્શાવી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. કિરીટ સોલંકી ભાષણ આપી રહ્યા હતા ત્યારે વિરોધ કર્યો હતો. ચૂંટાયા બાદ કોર્પોરેટર 5 વર્ષ સુધી દેખાતા નથી. સ્થાનિકોના વિરોધ બાદ કિરીટ સોલંકીને ભાષણ અધુરુ મૂકવું પડ્યું હતું.