સુરતઃ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વેપારીને પત્નીએ પાંચમાં માળેથી કૂદીને પુત્રી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતા સાથે ત્રણ વર્ષની દીકરીનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું છે. ડ્રેસ પેકીંગ બોક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના પત્ની અને પુત્રીએ આપઘાત કરી લીધો છે.


આપઘાત પહેલા પરિણીતાએ પતિને ફોન કર્યો હતો. પત્ની કોમલે પતિ આશિષ દેવેન્દ્ર સોમાણીને કહ્યું, સોરી હું જાવ છું તમે ધ્યાન રાખજો. આમ કહીને 5માં માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. આ પરિવાર મૂળ હરિયાણોનો છે. સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં રુદ્રમની એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જોકે, આપઘાતનું કારણ અકબંધ છે. પુણા પોલીસે પરિવારજનોના નિવેદન લઈ તપાસ આરંભી છે.