સુરતઃ શહેરના એક બ્રિજ પરથી માતાએ માત્ર 25 દિવસના બાળક સાથે નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. જોકે, ફાયર વિભાગે માતાને બચાવી લીધી છે, જ્યારે બાળકની શોધખોળ ચાલું હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના કેબલ બ્રિજ પરથી માતા એ પુત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી. જોકે, માતાને બચાવી લેવામાં આવી છે.


જોકે, આ મહિલા કોણ છે અને કયા કારણસર તેણે માત્ર 25 દિવસના પુત્ર સાથે નદીમાં મોતની છલાંગ લગાવી તે જાણી શકાયું નથી. વધુ વિગતો આવી રહી છે.