Swiggy News: હાલમાં જ સોશિયલ મીડિયા પર ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી તરફથી યુઝર્સને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જેના પર લોકોના ખુબ જ  રસપ્રદ રિએક્શન જોવા મળ્યા. આ કારણે જ Swiggyની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.


ટ્રેન્ડિંગ સમાચાર:
'જો દિખતા હૈ, વો બિકતા હૈ' આ કહેવત ખુબ જૂની છે . તે કેટલીક કંપની તેને માર્કેટિંગ આઇડિયા તરીકે લઇ રહી છે. જે વારંવાર સોશિયલ મીડિયાની મદદથી કનેક્ટ કરતી નજર આવે છે. હાલમા કંઈક આવું જ જોવા મળ્યુ  જ્યારે ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ ગ્રાહકોની દુખતી રગ પર હાથ મુક્યો.


સોશિયલ મીડિયા પર હાલમાં જ એક ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ એક ટ્વીટ કર્યું છે. જેમણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ પર કોઈ પણ ઝડપથી પોતાનું રિક્શન આપી રહ્યું છે. આ રિક્શનની પાછળનું કારણ સ્વીગીએ પુછેલો સવાલ છે.  સ્વિગીએ એ પૂછ્યું, તમારા બ્રેકઅપ પછી તમે કઈ ડિશ ખાવા વિશે વિચારશો.


 






સમાચાર રીલ્સ


તમને જણાવીએ કે 21 ડિસેમ્બરે સ્વિગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે દરેક વ્યક્તિને એક પ્રશ્ન કર્યો. તેણે પૂછ્યું છે કે દિલ તૂટી ગયા પછી તેઓ શું ખાવાનું પસંદ કરશે? સ્વિગીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.


જ્યાં અમુક યુઝર્સે તેના પર કમેન્ટ કરતા કહ્યું કે તેમને આઈસ્ક્રીમને પોતાની પ્રિય ગણે છે. તો ઘણાના રીએક્શન ખુબ અલગ હતા. તો કેટલાક યુઝર્સ આ પોસ્ટ પછી પોતાની માટે ફૂડ આઈટમ ઓર્ડર કરતા નઝર આવ્યા. આ પરથી એ ખ્યાલ આવ્યો કે મોટાભાગના લોકોને આઈસ્ક્રીમના બાઉલમાં સાંત્વના મળે છે. જયારે ઘણા લોકોના જવાબ તમને હસવા પર મજબૂર કરી દેશે.