રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. જો કે આ દરમિયાન મતદાન મથકમાં ફરજ બજાવતા શિક્ષક દિનેશ પરમારનેનું નિધન થયું છે.


 


અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન એક  શિક્ષક દિનેશ પરમારને નું નિધન થયું છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં જ  તેઓ ફરજ બજાવતા હતા,  તે દરમિયાન તેમને હાર્ટ અટેક આવી જતાં તેનું  નિધન થયું છે. તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા.   દિનેશ પરમારને ફરજ દરમિયાન હાર્ટ અટેક આવી જતાં તેમનું ચૂંટણીની  ફરજ બજાવતા દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મતદાન મથક પર તેમને હાર્ટ અટેક આવતા તેમની તબિયત લથડી હતી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. 


આજે રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયત માટે મતદાન


આજે રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયત માટે મતદાનશરૂ થયું છે. રાજ્ય ચૂંટણીપંચે  રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.


કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ


ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.


કેટલા ઉમેદવારો છે મેદાનમાં


સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે.


 પંચાયતો પર કબજો કરવા આજે ગુજરાતમાં  8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગકરશે.